આજ મળ્યો મોતને, વાતો કરી મોજની
હરતા-ફરતા સાથે રમતા’તા
જીવનના કામોની ચર્ચા કરતા’તા
આજ મળ્યો મોતને.....
સવાલ-જવાબ કરતા’તા,
પાંસાઓ આમ-તેમ ફેરવતા’તા
સમજાવ્યો મને વાત-વાતમાં
આજ મળ્યો મોતને.....
સુખ-દુઃખનો સરવાળો થતો’તો
પાપોની બાદબાકી થતી’તી
ગમે-તેમ કરી મોતને પટાવતો’તો
આજ મળ્યો મોતને.....
-કેયુર દુધાત
No comments:
Post a Comment